Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિતઃ સિવીલમાં દાખલ

પતિ જે.પી.આચાર્યને બે દિ' અગાઉ કોરોના થયા બાદ આજે બિનાબેનનો રિપોર્ટ પણ પોઝીટીવ : પતિ-પત્ની બંને કોવિડ હોસ્પીટલમાં સારવાર હેઠળ છેઃ ભાજપ વર્તુળ-અધિકારીઓમાં ભારે ચિંતા

રાજકોટ તા.રઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ગતીએ વકરી રહ્યું છે ત્યારે આજે શહેરમાં પ્રથમ નાગરિક બિનાબેન આચાર્યને પણ કોરોના થયાનો રિપોર્ટ આવતાં મ્યુ. કોર્પોરેશનનાં અધિકારીઓ -પદાધિકારીઓ અનેભાજપ વર્તુળમાં ઘેરી ચિંતા પ્રસરી છે. બે દિવસ અગાઉ બિનાબેન આચાર્યનાં પતિ જે. પી. આચાર્ય કોરોનાથી સંક્રમીત થતાં બીનાબેનને પણ હોમ કોરન્ટાઇન કરાયા હતો. દરમિયાન આજે સવારે બિનાબેનનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સવારે તેઓને હોમ આઇસોલેટ કરાયા હતાં. પરંતુ તેઓ કોઇ વધુ જોખમ લેવા માંગતા નહી હોવાથી બિનાબેન અને તેમનાં પતિ જે.પી. આચાર્ય બન્નેએ સીવીલની કોવીડ હોસ્પીટલમાં નિષ્ણાંત ડોકટરોની દેખરેખ  હેઠળ સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો.

આથી બપોરે પતિ-પત્નિ બન્નેને કોવિડ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયા હોવાનું મ્યુ. કોર્પોરેશનનાં પદાધિકારી વર્તુળોએ જણાવ્યું હતું.

આમ હવે એક પછી એક ભાજપ નેતાઓ પણ કોરોનાં સંક્રમિત થવા લાગતાં શહેર ભાજપ અને અધિકારી વર્તુળમાં ઘેરી ચિંતા છવાઇ છે.

(3:38 pm IST)