Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજકોટના ભાનુબેન જોષીનું ચોટીલા માવતરે બેભાન થતાં મોત

રાજકોટ તા. ૨: સંત કબીર રોડ પર માર્કેટ યાર્ડની સામે હા.બોર્ડ કવાર્ટરમાં નં. ૧૨૩માં રહેતાં ભાનુબેન કમલેશભાઇ જોષી (ઉ.વ.૪૬) બે દિવસ પહેલા ચોટીલા ખાતે થાન રોડ પર રહેતાં પોતાના માવતરને ત્યાં આંટો દેવા ગયા હોઇ ત્યાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.

ભાનુબેન સાથે તેમના પતિ કમલેશભાઇ અમૃતલાલ જોષી પણ ચોટીલા હતાં. તે છુટક કામ કરે છે. સંતાનમાં બે દિકરા છે. બનાવથી પરિવારમાં શોક છવાઇગયો હતો.

(12:55 pm IST)