Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

કોંગ્રેસ દ્વારા ગાંધીવંદનાઃ આગેવાનો -કાર્યકરો દ્વારા પુષ્પાંજલી

રાજકોટ :આજે ૨જી ઓકટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની ૧૫૧મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા આ તકેશહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઇ મકવાણા, સેવાદળ પ્રમુખ રણજિતભાઈ મુંધવા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી પ્રમુખ રાજુભાઈ આમરણીયા, માઇનોરિટી ચેરમેન યુનુશભાઈ જુણેજા, નરેશભાઈ સાગઠીયા, વોર્ડ પ્રમુખ કૃષ્ણદત્ત્। રાવલ, તુષાર દવે, અલ્પેશભાઈ ટોપીયા, ગોરધનભાઈ મોરવાડીયા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, ગીરીશભાઈ ઘરસંડિયા, દિનેશભાઇ પટોળીયા, જગદીશભાઈ સખીયા, મેપાભાઇ કણસાગરા, તમામ કોર્પોરેટર, તમામ હોદેદારો તેમજ કાર્યકરો ભાઈ બહેનો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને મહાત્મા ગાંધી અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.

(11:30 am IST)