Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતાં વિરનગરના નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોવિડ વોર્ડમાં કાર્યરત પરદા પાછળના કોરોના વોરિયરની કથા

રાજકોટ : કોરોના મહામારીને નાથવા અને દર્દીઓને કોરોના મુકત કરવામાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઘણાં કોરોના યોદ્ઘાઓ કોરોનાગ્રસ્તોની સેવા કરતાં કરતાં ખુદ સંક્રમિત થયાં,પરંતુ સારવાર અને સેવાની સરવાણી અટકી નથી. સિવિલના આવા જ એક કર્મયોગી સ્ટાફ નર્સ છે દ્રષ્ટિબેન મોણપરા. જેઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતાં કરતાં ખુદ કોરોનાનો શિકાર બન્યા અને સારવાર બાદ કોરોનાને હરાવીને તેઓ પોતાની નૈતિક ફરજ સાથે માનવીય સંવેદના સાથે પુનઃ કોરોનાગ્રસ્તોની સેવામાં જોડાઈ ગયાં છે.

મૂળ વીરનગરના વતની અને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ૨૭ વર્ષીય નર્સ દ્રષ્ટિબેન દર્દીનારાયણની સેવાની વાત કરતા કહે છે કે,હું છેલ્લા ૬ વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર છું. રાજકોટમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ શરૂ થઈ ત્યારથી હું સેવામાં સક્રિય છું,મારુ કાર્ય ડોકટર દ્વારા દર્દીને અપાતી સૂચનાઓનું પાલન કરવાનું છે. જેમાં દર્દીઓને સમયસર દવા, ઉકાળા,આરોગ્યદ ભોજન આપવાનું છે,સાથો સાથ કોરોના વોર્ડમાં દાખલ ત્યેક દર્દીને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય કે કોઈ સમસ્યા હોય તો અમે તેનું નિરાકરણ કરીએ છીએ,મારી કોવિડ વોર્ડની ફરજ દરમિયાન હું કોરોના સંક્રમિત થઈ હતી. જેથી ૭ દિવસની સિવિલ હોસ્પિટલમાં જ સારવાર લઈ સ્વસ્થ થઈ. પરંતુ શારીરિક નબળાઈ જણાતા ૧૪ દિવસ હોમ આઈસોલેટ રહીને ફરીથી કોવિડ વોર્ડમાં કોરોના દર્દીઓની સેવામાં જોડાઈ ગઈ છું. પરિવારની ેરણા અને ઈશ્વરની કૃપા દ્રષ્ટિથી આવી મહામારીના સમયમાં મને લોકોની સેવા કરવાની હિંમત મળે છે.

દ્રષ્ટિબેન કોરોના વોર્ડમાં તેમની ફરજ દરમિયાન થયેલા અનુભવોને વર્ણવતાં કહે છે કે,ઘણી વાર દર્દીઓ હોસ્પિટલમાં આવે ત્યારે ગંભીર હાલતમાં હોય છે. હું જયારે પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત હતી એ સમયે એક કોરોનાગ્રસ્ત સગર્ભા બહેને કોવીડ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો. તે બાળકને કોરોના ન હોવાથી તેને અલગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. માતા કોરોનાગ્રસ્ત હતી એટલે તે બાળકની વારંવાર ચિંતા કર્યા કરતી અમે તેમને સમજાવતા કે તમે ચિંતા ન કરો તમે કોરોના મુકત થઈને અવશ્ય તમારા બાળકને રમાડશો,તેમના બાળકને મેં ૧૫ દિવસ સુધી આત્મીયતા સભર હૂંફ પુરી પાડી હતી અને જયારે તે બેન કોરોના મુકત થયા ત્યારે તેમણે મારો હર્ષભેર આભાર માન્યો હતો,આવી જ ઘટના આઇ.સી.યુ. વોર્ડમાં બની હતી. અહીં દાખલ દર્દીઓ માનસિક રીતે પડી ભાંગતા હોય છે ત્યારે અમે એમને આશ્વાસન આપી તેમનું મનોબળ મજબૂત કરીએ છીએ.

આ વોર્ડમાં ઓકિસજનની કમી ધરાવતા એક અંકલને બાયપેપ મશીન પર સતત ઓકિસજન આપવામાં આવતું હતું,પણ અંકલને એ ભય હતો કે તે મૃત્યુ પામશે. તેવા સમયે હું તેમને સમજાવતી કે સુયોગ્ય ઉપચાર અને મક્કમ મનોબળ દ્વારા આપણે સાથે મળીને કોરોનાને પરાસ્ત કરીશું,મારી આ વાત સાંભળીને તેમને બળ મળ્યું અને તેઓ કોરોના મુકત થયા,આમ અમે સિવીલમાંસેવા કાર્ય કરી રહેલા આરોગ્ય કર્મીઓ દર્દીઓને પરિવાર જેવા જ માહોલમાં સારવાર આપી તેમને સ્વસ્થતા સાથે તેમના ઘરે પરત મોકલીએ છીએ ત્યારે ઘણો આનંદ સાથે ગર્વ થાય છે કે અમે જે સેવા આપી છે,તે વ્યર્થ નથી ગઈ.

(1:22 pm IST)