Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતરને ભારે પ્રતિસાદ મળ્યો : ગ્રાહકોનો વધ્યો ઉત્સાહ

સોનાના આભૂષણોની મજુરીમાં 10 ગ્રામે રૂ,1250 અને ડાયમંડ જવેલરીની મજુરીમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ

રાજકોટ તા :  2 પ્રકાશપર્વ દિવાળીના તહેવારો નિમિતે ઝવેરીબજારમાં ઘરેણાની ઘડામણમાં વિશેષ વળતર અપાઈ રહ્યું છે રાજકોટ ગોલ્ડ ડીલર્સના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની ખરીદી પર 10 ગ્રામે મજુરીમાં રૂપિયા 1250નું વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકાનું જબરું ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છેજેને ભારે પ્રતિસાદ મળ્યાનું વેપારીઓ જણાવી રહ્યાં છે દિવાળી પર્વે ગ્રાહકોમાં પણ ખરીદીનો ઉત્સાહ વધ્યો છે

 

(1:59 pm IST)