Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

મનપાના પદાધિકારીઓ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટર દ્વારા ગઇકાલ તા. ૩૧ ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૬મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર દર્શિતાબેન શાહ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઇ ધવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મનીષભાઇ રાડીયા, નેહલભાઇ શુકલ, નીતિનભાઇ રામાણી, બાબુભાઇ ઉધરેજા, પરેશભાઇ ડી. પીપળીયા, ચેતનભાઇ સુરેજા, જીતુભાઇ કાટોળીયા, હાર્દિકભાઇ ગોહિલ, સંદીપભાઇ ગાજીપરા, વિનોદભાઇ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મિતલબેન લાઠીયા, કંચનબેન સિધ્ધપુરા, જયાબેન હરિભાઇ ડાંગર, દર્શનાબેન પંડયા, મીનાબા જાડેજા વોર્ડ નં. ૦૪ ના પ્રમુખ સી. ટી. પટેલ, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઇ લુણાગરીયા વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.

(3:27 pm IST)