Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

રાજકોટના પાણીના ધંધાર્થી યાજ્ઞિક દૂધરેજીયાએ મેટોડામાં ઝાડમાં લટકી મોત મેળવી લીધું

પિતાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતાં માઠુ લાગી જતાં પગલું

રાજકોટ તા. ૨: સહકાર નગર મેઇન રોડ પર વિશાલનગર-૪માં રહેતાં યાજ્ઞિક પરશુરામભાઇ દૂધરેજીયા (ઉ.વ.૩૦) નામના યુવાને મેટોડા જીઆઇડીસીમાં વાગુદડ રોડ પર પીપરના ઝાડમાં લટકી જઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ઝાડમાં એક યુવાનની લાશ લટકતી હોવાની જાણ થતાં લોધીકાના એએસઆઇ કિર્તીદાનભાઇ કે. ગઢવીએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રાજકોટનો યાજ્ઞિક દૂધરેજીયા હોવાનું ખુલતાં તેના સ્વજનોને જાણ કરાઇ હતી. યાજ્ઞિક બે ભાઇ અને એક બહેનમાં નાનો અને કુંવારો હતો. તે લોધીકામાં  પાણીના કેરબાની સપ્લાયનું કામ કરતો હતો. હાલમાં કામે જવા માટે સવારે  નિયમીત વહેલો ઉઠતો ન હોઇ પિતાએ ઠપકો આપતાં માઠુ લાગતાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.

(11:33 am IST)