Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

પુજ્ય ધીરગુરૂદેવના મયુરભાઇ શાહના નિવાસસ્થાને પાવન પગલાઃ દિક્ષાર્થી રોશનીબેનનુ બહુમાન

રાજકોટઃ જૈન મોટસંઘ, પેલેસ રોડ ખાતે પરમ શ્રધેય પુજ્ય ધીરગુરૂદેવ અને મહાસતિજીઓનો દિક્ષા પ્રસંગે મંગલપ્રવેશ કરવામાં આવેલ અને સેંકડો શ્રાવક શ્રાવિકાઓ અને જૈન શ્રેષ્ઠીઓ દ્વારા તેમનુ ભવ્ય સ્વાગત મુળવંતભાઇ દોમડીયા ચોક ખાતે કરવામાં આવેલ ત્યાંથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયેલ. જે જૈન અને ભાજપ અગ્રણી મયુરભાઇ શાહના નિવાસ સ્થાને પધારેલ. જ્યા પરમ પુજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ અને દિક્ષાર્થી રોશનીબેનના પાવન પગલા કરવા માં આવેલ. મયુરભાઇના નિવાસસ્થાને દિક્ષાર્થી રોશનીબેનનુ બહુમાન તેમના પરિવારની દિકરીઓ, રાજવી, મનીષા, કિંજલ, જમાઇ અનિક શેઠ અને તેજશભાઇ મહેતા, ઉષાબેન શાહ અને રૂપાબેન શેઠે કરેલ. ત્યારબાદ પુજ્ય ધીરગુરૂદેવએ માંગલિક ફરમાવેલ. શોભાયાત્રાના તમામ સેંકડો શ્રાવક શ્રાવિકાઓનુ સંઘપુજન મયુરભાઇ શાહ પરિવારે ભાવપુર્વક કરેલ હતુ. અને પુ. ધીરગુરૂદેવના આશીર્વાદ લઇ રૂણ સ્વીકાર કરેલ. આ પ્રસંગે સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા, મંત્રી દિનેશભાઇ દોશી, ટ્રસ્ટી ડો. રાજુભાઇ કોઠારી, અન્ય પદાધિકારીઓ અને જૈન શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેલ.

(2:42 pm IST)