Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

વાટલીયા પ્રજાપતિ ગોંડલીયા પરિવાર દ્વારા કાલે તમાચણમાં પંચકુંડી હવન

રાજકોટ તા. ૨ : જામવણથલી તાલુકાના તમાચણ મુકામે સમસ્‍ત વાટલીયા પ્રજાપતિ ગોંડલીયા પરિવાર દ્વારા કાલે તા. ૩ ના શનિવારે સુરાપુરા દાદાના મંદિરે પંચકુંડી હવનનું આયોજન કરાયુ છે. કાલે સવારે ૭ વાગ્‍યે આરતી બાદ હવન પ્રારંભ અને બીડુ બપોરે ૧૨ વાગ્‍યે હોમાશે. બાદમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે. સમસ્‍ત રાજકોટ વાટલીયા પ્રજાપતિ સમાજ, જામનગર વાટલીયા પ્રજાપતિ સમાજ, કાલાવડ વાટલીયા પ્રજાપતિ સમાજને પધારવા ગોંડલીયા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે. શાષાી તરીકે જસદણવાળા મુકેશચંદ્ર જી. વ્‍યાસ બીરાજી હવનાદી ક્રીયાઓ કરાવશે. સેવા આપવા કે વધુ માહીતી માટે અજયભાઇ મો.૯૮૯૮૮ ૧૧૧૩૬ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(11:44 am IST)