Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

નિર્મલા રોડ પર અકસ્‍માતમાં ઘવાયેલા ગીરીશચંદ્રભાઇનું મોત

પાંચ દિવસ પહેલા ટુ વ્‍હીલર ઝાડ સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો'તો

રાજકોટ,તા. ૨ : નિર્મલા રોડ પર ઝાડ સાથે ટુ વ્‍હીલર અથડાયા બાદ ઘવાયેલા વૃધ્‍ધનું આજે સારવાર દરમ્‍યાન મોત નિપજતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ લીંબુડીવાડી મેઇન રોડ પર આવેલ યોગી અમૃત એપાર્ટમેન્‍ટમાં રહેતા ગીરીશચંદ્રભાઇ શાંતીલાલભાઇ વોરા (ઉવ.૮૩) ગત તા.૨૮ના રોજ ટુ વ્‍હીલર લઇને જતા હતા. ત્‍યારે ટુ વ્‍હીલર ઝાડ સાથે ભટકાતા વૃધ્‍ધને છાતીના ભાગે ઇજા થઇ હતી. બાદ તેને સારવાર માટે વોકહાર્ટ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં આજે સવારે તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજ્‍યું હતું. આ બનાવ અંગે એએસઆઇ જયસુખભાઇએ તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)