Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

ફીર વહી રફતાર... આરામ નહી, ઉદય કાનગડ હવે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર પ્રસારની કામગીરીમાં લાગી ગયા

રાજકોટઃ ભાજપના ધુંઆધાર નેતા ઉદયભાઇ કાનગડ ગઇ કાલે ચૂંટણી પૂરી થતાંની સાથે જ આજે સવારથી પક્ષની કામગીરીમાં લાગી ગયા હતા.

ઉદય કાનગડે આજે સવારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચી ગયા હતા અને આગેવાનો સાથે મીટીંગ યોજી હતી. અને હવે આગામી તા.૫ મી ડિસેમ્‍બરે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણી માટે રણનીતિ ઘડી ગુજરાતમાં પ્રચાર કાર્યની શરૂઆત કરી દેનાર હોવાનુ જણાવેલ.

આ બેઠકમાં કમલેશ મીરાણી, રાજુભાઇ ધ્રુવ, મનિષભાઇ રાડીયા, પ્રતાપસિંહ ઠાકુર, મનુભાઇ વઘાસીયા, જૈમીન ઠાકર વિ. ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:56 pm IST)