Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

કાલે જડ્ડુસ ઓવરબ્રિજ સહિત ૧૧૪ કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વર્ચ્‍યુઅલ ઉપસ્‍થિતિઃ મનપા-રૂડા દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ : જડુસ ચોક ઓવરબ્રીજ, રૈયા મુકિતધામ - ઇલેકટ્રીક સ્‍મશાન, ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે, ભાવનગર હાઇવેથી અમદાવાદ હાઇવે તથા પોપટપરામાં ૧૦૦ આવાસોનું લોકાર્પણ તથા ઇલે. બસ ચાર્જીંગ સ્‍ટેશન ડેપોનું ખાતમુહૂર્ત : કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ તથા ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્‍થિતિ : સવારે ૧૧ કલાકે એ.જી. ચોક ખાતે ડાયસ કાર્યક્રમ

રાજકોટ તા. ૩ : શહેરના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાલે તા. ૪ને શનિવારના રોજ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની વર્ચ્‍યુઅલી ઉપસ્‍થિતિમાં યોજાશે. જેમાં જડુસ ચોક ખાતે ઓવરબ્રીજ, રૈયા ખાતે ગેસ આધારિત મુકિતધામ, ગોંડલ - ભાવનગર હાઇવે તથા ભાવનગર - અમદાવાદ હાઇવેનું લોકાર્પણ કરાશે. જ્‍યારે ઇલેકટ્રીક બસ ચાર્જીંગ સ્‍ટેશન અને ઇલેકટ્રીક બસ ડેપો તથા રેલનગર મેઇન રોડ ખાતે ફુટપાથ અને સાઇડ સોલ્‍ડર યુટીલીટીનું ખાતમુહૂર્તનું ડાયસ ફંકશન એ.જી.ચોક ખાતે યોજાનાર છે.

આ અવસરે રાજયના કૃષિ પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્‍ય વિકાસ વિભાગના તથા રાજકોટ જિલ્લના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ સામાજીક ન્‍યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્‍થિતિ રહેશે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્‍થિત રહેશે. આ અવસરે સાંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય  ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા વગેરે ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમ તા.૪ના રોજ સંયુક્‍ત ડાયસ કાર્યક્રમ કાલાવડ રોડ પર એ.જી.ચોક ખાતે સવારે ૧૧ કલાકે યોજાશે.

જડુસ ચોક ઓવરબ્રીજ

રૂ. ૨૮.૫૨ કરોડના ખર્ચે જડુસ ચોક ખાતે ફલાયઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે. બ્રિજની લંબાઈ ૩૬૦ મી., પહોળાઈ ૧૫.૫૦ મીટર, સર્વિસ રોડ ૦૬ મીટર, બંને તરફ ફૂટપાથ, યુટીલીટી ડકટ, પીઅરની સખ્‍ય-૬, સેન્‍ટ્રલ સ્‍પાનની ઊંચાઈ ૦૪.૫૦ મીટર, બ્રિજનો સ્‍લોપ ૧.૩૦, સ્‍ટારટીંગ પોઈન્‍ટ એ.જી.ચોક, એન્‍ડીંગ પોઈન્‍ટ મોટામવા હૈયાત કલ્‍વર્ટ પાસે, લાભાર્થીની સંખ્‍યા ૨ લાખ/દિવસ.

રૈયા મુક્‍તિધામ

વોર્ડ નં.૯માં રૈયા મુક્‍તિધામ ખાતે રૂ. ૪.૦૭ કરોડના ખર્ચે ઇલેક્‍ટ્રિક ગેસ આધારિત સ્‍મશાન બનાવવામાં આવેલ છે. આ સ્‍મશાન ૬૬૫.૦૦ ચો.મી.નું બાંધકામ કરવામાં આવેલ છે. યુનિટ-૧માં ઇલેક્‍ટ્રિક આધારિત ક્રીમેટોરીયમ બેડ-૧, યુનિટ-૨માં ગેસ આધારિત ક્રીમેટોરીયમ બેડ-૧, યુનિટ-૩ ભવિષ્‍યની જરૂરીયાત માટે અનામત રાખેલ છે. પ્રાર્થના હોલ અંદાજે ૨૦૦ માણસોની ક્ષમતાવાળો બનાવવામાં આવેલ છે તેમજ ટોયલેટ બ્‍લોક-૧ અને પેવિંગ રસ્‍તો બનાવવામાં આવેલ છે.

ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે

રીંગરોડ-૨, ફેઝ-૩માં ગોંડલ હાઇવે થી ભાવનગર હાઇવે સુધીનાં ૧૦.૬૦ કી.મી. રસ્‍તાની કામગીરી રકમ રૂ. ૧૬.૩૬કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્‍તાની પથરેખામાં આવેલ ૫(પાંચ) મેજર બ્રીજની કામગીરી રકમ રૂ. ૧૯.૪૪ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. વધુમાં રસ્‍તાની પથરેખામાં ચે ૮૧૦ પર રેલેવ ક્રોસીંગ પર હૈયાત ફાટક ૧૭/સી રીંગરોડ પર રકમ રૂ ૩.૫૬કરોડના ખર્ચે શીફટીંગની કામગીરી પુર્ણ કરેલ છે. આમ કુલ રકમ રૂ ૩૯.૩૬કરોડનાં ખર્ચે રીંગરોડ-૨, ફેઝ-૩ની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્‍તાની લંબાઇ ૧૦.૬ કી.મી અને પહોળાઇ ૯.૨૫ મી (૭.૨૫મી ડામર અને ૧.૦+૧.૦મી સાઇડ શોલ્‍ડર)છે, તેમજ બ્રીજની પહોળાઇ ૧૩.૭૦મી (૩-માર્ગીય) છે.

ભાવનગર હાઇવેથી અમદાવાદ હાઇવે

રીંગરોડ-૨, ફેઝ-૪ માં ભાવનગર હાઇવે થી અમદાવાદ હાઇવે સુધીનાં ૧૦.૩૦ કી.મી. રસ્‍તાની કામગીરી રકમ રૂ. ૨૨.૦૪ કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. તેમજ રસ્‍તાની પથરેખામાં આવેલ ૨(બે) મેજર બ્રીજની કામગીરી રકમ રૂ ૧૧.૭૯ કરોડના ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. આમ કુલ રકમ રૂ ૩૩.૮૩કરોડનાં ખર્ચે રીંગરોડ-૨, ફેઝ-૩ની કામગીરી પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્‍તાની લંબાઇ ૧૦.૩ કી.મી અને પહોળાઇ ૯.૨૫ મી (૭.૨૫મી ડામર અને ૧.૦+૧.૦મી સાઇડ શોલ્‍ડર) છે, તેમજ બ્રીજની પહોળાઇ ૧૩.૭૦મી (૩-માર્ગીય) છે.

ઇલે. બસ ચાર્જીંગ સ્‍ટેશન ડેપો

રૂ. ૭.૯૨ કરોડના ખર્ચે સ્‍માર્ટ સિટી વિસ્‍તારની ટી.પી. સ્‍કીમ નં.૩૨, રૈયા એફ.પી.નં.૮૩ ની ૨૫,૦૨૭ ચો.મી. જમીન પર ઇલેક્‍ટ્રિક બસ ચાર્જિંગ સ્‍ટેશન અને  ઇલેક્‍ટ્રિક બસ ડેપોનું ખાતમુર્હુત થશે. વોર્ડ નં.૩માં રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે રેલનગર મેઈન રોડ બંને સાઈડ ફૂટપાથ તથા સાઈડ સોલ્‍ડરની યુટીલીટીનું ખાતમુર્હુત થશે.

પોપટપરા આવાસ

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS-1 કેટેગરીના ડ્રો ૫૯૦ તથા પોપટપરા વિસ્‍તારના LIG કેટેગેરીના ૧૦૦ આવાસોનું લોકાર્પણ કરાશે.

સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતી ચેરમેન કેતનભાઈ પટેલ, લાઈટીંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, આરોગ્‍ય સમિતી ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ એક સંયુક્‍ત યાદીમાં જણાવેલ છે.

(3:21 pm IST)