Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ઇશ્વર અકિલા પરિવારને આઘાત સહન કરવાની શકિત આપે: નરેન્દ્રબાપુની પ્રાર્થના

સ્વ. વીણાબેન ગણાત્રા લાગણી અપાર મૂકી ગયા, અણમોલ સંભારણા છોડી ગયા

રાજકોટ: અકિલા પરિવારના શ્રીમતી વીણાબેન અજિતભાઇ ગણાત્રા તા. ૩૧મીઍ શ્રીજીચરણ પામતા આજે શ્રી આપાગીગાનો અોટલો ચોટીલાના મહંત તેમજ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ રાજકોટના પ્રમુખ શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) ઍ અકિલાના આંગણે આવી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાને મળી દિલસોજી આપેલ. તેમણે સ્વર્ગસ્થ વીણાબેનના માયાળુ, પરોપકારી અને લાગણીશીલ સ્વભાવની વાતો જાણી શ્રધ્ધાંજલી અર્પેલ. ઇશ્વર અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારને અસહ્ના આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે અકિલા પરિવારના જમાઇ નાસિકવાળા સુનિલભાઇ રાયચુરા તથા અકિલા પરિવારના પરમ સ્નેહી જનકભાઇ ત્રિવેદી ઉપસ્થિત હતા. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા)(૨૧.૨૯)

 

(4:19 pm IST)