Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજકોટ જેલના કેદી શિહોરના ૭૦ વર્ષના વજાભાઇનું મોત

નારકોટીકસના ગુનામાં પાકા કેદી હતાં: હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૩: રાજકોટ જેલમાં નારકોટિકસના ગુનામાં પાકા કામના કેદી તરીકે રખાયેલા મુળ ભાવનગરના શિહોરના વજાભાઇ દાનસંગભાઇ વાળા (ઉ.વ.૭૦) શ્વાસની બિમારીથી બેભાન થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ બી. એ. બોરીસાગર અને આનંદભાઇએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને એનડીપીએસના ગુનામાં દસ વર્ષની સજા પડી હતી. ચાર માસથી રાજકોટ જેલમાં રખાયા હતાં.

(1:02 pm IST)