Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

પ્રહલાદ પ્લોટના લોહાણા વેપારી અંકુર ઠકકર પર તરઘડીની જમીનમાંથી હટી જવાનું કહી રણજીત ચાવડા સહિત પાંચનો કવતરૂ રચી રેકી કરી પાઇપ લાકડીથી હુમલો: ખૂનની ધમકી: એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ:  શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.૩૨માં રહેતાં અંકુરભાઈ અમૃતભાઈ ઠક્કર લોહાણા (ઉ.વ.૪૨) નામના વેપારી પર પ્રહલાદપ્લોટ શેરી નં. ૨૬ના ખૂણા પર હતા ત્યારે પડધરીના તરઘડી ગામના રણજી ચાવડા તથા અજાણ્યા ચાર માણસોએ પૂર્વયોજિત કાવતરૂ રચી રેકી કરી લાકડી અને પાઈપથી હુમલો કરી ગાળો દઈ ઢીકાપાટુનો માર મારી તરઘડીની જમીનમાથી હટી જવાનું કહી બન્ને પગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની તરઘડીની જમીન પચાવી પાડવા માટે હુમલો કરી તેમજ મોટર સાયકલ તથા મોબાઇલમા નુકશાની કરી હતી અને ભાગી ગયા હતાં. એ ડિવિઝન પીઆઇ કે.એન. ભુકણની રાહબરીમાં 

પો.સ.ઇ. જી.એન. વાધેલાએ આઇ.પી.સી કલમ ૩૨૩,૩૨૭,૫૦૪,૫૦૬(૨),૩૪૧,૪૨૭,૧૧૪,૧૨૦ (બી) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે 

(10:41 am IST)