Gujarati News

Gujarati News

News of Monday, 3rd October 2022

બાલ ભવનમાં ડાંડીયા રાસ સાથે આરતી શણગાર હરીફાઈ

રાજકોટઃ અહિંના બાલભવન ખાતે ભુલકાઓના ડાંડીયારાસ તેમજ આરતી શણગાર હરીફાઈ યોજાએલ.

આ પ્રસંગે પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગીરીશભાઈ ભટ્ટ, સલીલભાઈ મહેતા, હરિતભાઈ મહેતા, અરૂણાબેન ત્રિવેદી, બી.જે.મહેતા, નેહાબેન મહેતા, સુરેશભાઈ કપરમાર, શ્રીમતી પાલા તેમજ પ્રફુલભાઈ પાલા અને વિરાંગભાઈ ઓઝા સહીતનાં મહેમાનોએ ર્માં જગદંબાની આરતીથી કાર્યક્રમની શરૂઆત કરી. નિર્ણાયકો જાગૃતિબેન ભટ્ટ, દક્ષાબેન સોલંકી, ઉર્વશીબેન ચૌહાણ અને દિવ્‍યાબેન ઓઝાએ સેવા આપી હતી. ટ્રસ્‍ટી અલ્‍પનાબેન ત્રિવેદી (હેલીબેન) સાથે મહેમાનોનાં હસ્‍તે તમામ વિજેતાઓને ઈનામો વિતરણ કરાયું. ઓફિસ સુપ્રીન્‍ટેન્‍ડેન્‍ટ કિરીટભાઈ વ્‍યાસનાં મેનેજમેન્‍ટ સાથે કાર્યક્રમનું સંચાલન પલ્લવીબેન વ્‍યાસ દ્વારા કરાયું હતું.

(3:35 pm IST)