Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

કામધેનુ દિપાવલીન અભિયાનને વેગ આપવા સાંજે વેબીનાર : ૧૦૦ કલાકારો વચ્ચે વિચારોનું થશે આદાન પ્રદાન

રાજકોટ : રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી ૧૧ કરોડ પરિવારોમાં ૩૩ કરોડ દેવી દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૩૩ કરોડ દિવડા પ્રગટે તે માટે 'કામધેનુ દિપાવલી અભિયાન' હાથ ધરાયુ છે. ત્યારે આ અભિયાનને વેગ મળે તેવા હેતુથી ૧૦૦ કલાકારોના વિચારોના આદાન પ્રધાનરૂપે એક વેબીનાર આજે તા. ૩ ના મંગળવારે સાંજે પ વાગ્યે ગુગલ મીટ પર યોજવામાં આવેલ છે. જેમાં જાણીતા લોકગાયક કીર્તીદાન ગઢવી, હાસ્ય કલાકાર સાંઇરામ દવે, લોકસાહિત્યકાર રાજભા ગઢવી, દેવાયત ખવડ, ભૂમિ ત્રિવેદી, તેજસ શીશાંગીયા સહીત ૧૦૦ થી વધુ કલાકારો ભાગ લેશે. આ વેબીનાર ફેસબુક પર પણ નિહાળી શકાશે. લીંક મેળવવા તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૨ ૨૧૯૯૯ અથવા મો.૯૮૯૮૪ ૫૭૭૫૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:58 pm IST)