Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ઇશ્વરીયા પાર્ક દિવાળી ઉપર નહિ ખૂલેઃગઢવી...

ર થી ૪ હજાર લોકો રજા ઉપર ઉમટે તેવું જોખમ લેવાય નહીઃ માંડ કોરોના કાબૂમાં આવ્યો છે...

રાજકોટ તા. ૩ : કોરોના કાબૂમાં આવતા રાજકોટ શહેર-જીલ્લામાં અનેક છૂટછાટો ધીમે ધીમે કલેકટર તંત્ર આપી રહ્યું છે. દરમિયાન સીટીપ્રાંત-૧ શ્રી સિદ્ધાર્થ ગઢવી કે જેઓ ઇશ્વરીયા પાણીનો પણ હવાલો સંભાળી રહ્યા છે., તેમેણે આજે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળી ઉપર ઇશ્વરીયા પાર્ક નહી ખોલવામાં આવે, દિવાળી ઉપર ૪ થી પ દિવસની રજા આવે છે, અને તેમાં આ અદ્યતન પીકનિક પોઇન્ટ ઉપર ર થી ૪ હજાર લોકો ઉમટી પડે તેવું જોખમ લેવાય નહિ, માંડ કોરોના કાબૂમાં આવ્યો છે, દિવાળી બાદ ઇશ્વરીયા પાર્ક ખોલવા અંગે વિચારીશું કલેકટરશ્રી મંજુરી આપે પછી નિર્ણય લેવાશે.

(3:01 pm IST)