Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

તાલાલાના ચિરાગને રાજકોટમાં ત્રણ શખ્‍સે ઢીકાપાટુનો માર માર્યો

અમીન માર્ગ પર જે એપાર્ટમેન્‍ટમાં ભાડેથી રહે છે ત્‍યાં પડોશમાં રહેતાં લોકોએ મારકુટ કર્યાનો આક્ષેપ
રાજકોટ તા. ૩: મુળ તાલાલા ગીરના વતની અને હાલ એકાદ વર્ષથી રાજકોટ અમીન માર્ગ ચિત્રકુટ-૨માં આવેલા રતન એપાર્ટમેન્‍ટમાં બીજા બે લોકો સાથે પેઇંગ ગેસ્‍ટ તરીકે રહી રૂની વાટ બનાવીને વેંચવાનું કામ કરતાં ચિરાગ નંદલાલભાઇ પાબારી (ઉ.વ.૩૨) નામના યુવાનને એપાર્ટમેન્‍ટની બાજુમાં જ રહેતાં રાજન કોઠારી, દેવા કોઠારી અને અજાણ્‍યાએ ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ચોકીના સ્‍ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
ચિરાગના કહેવા મુજબ હુમલો કરનારાને પોતે જે ફલેટમાં ભાડેથી રહે છે તેના માલિક સાથે મનદુઃખ ચાલતું હોઇ સાંજે નીચે દેકારો થતો હોઇ પોતે ત્‍યાં જોતાં નીચે બોલાવી ઝઘડો કરી ફલેટ અમારો છે તેમ કહી મારકુટ કરવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

 

(11:47 am IST)