Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

ડો. કથીરીયા રાષ્ટ્રપતિની શુભેચ્છા મુલાકાતે

 ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાની પ્રેરણાથી આ વર્ષે કરોડો પરીવારોમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌમાતાના ગોબરમાંથી બનેલ ૧૦૧ કરોડ દિવા પ્રગટે તે માટે ''કામધેનુ દિપાવલી અભિયાન'' નું સતત બીજા વર્ષે મંગલાચરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં પૂર્વ અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ગાયના ગોબરમાંથી બનાવેલ ગોમય દિવડાઓ આપી અભિવાદન કર્યું હતું. આ અભિયાન અંગેની તમામ માહિતી જાણી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીએ પણ પોતાના હૃદયની પ્રસન્નતા વ્યકત કરીને આ અભિયાનને સમર્થન આપ્યું હતું. 

(3:08 pm IST)