Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

આજીડેમમાં થયેલી મારામારીના ગુનામાં ફરાર રણજીત પકડાયો

આજીડેમ પોલીસે અમરેલીના વડીયા ગામેથી દબોચ્યો

રાજકોટ,તા. ૩ : આજીડેમ વિસ્તારમાં થયેલી મારામારીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા શખ્સને આજીડેમ પોલીસે અમરેલીના પીપલઝ ગામેથી પકડી લીધો હતો.મળતી વિગત મુજબ આજીડેમ વિસ્તારમાં ઝુપડામાં રહેતા યુવાન પર પથ્થરના ઘા કરી છરી વડે હુમલો કરવાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો શખ્સ અમરેલીના પીપલજ ગામમાં હોવાની આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ યશવંતભાઇ ભગત, ઉમેદભાઇ ગઢવી તથા ભીખુભાઇ મૈયડને બાતમી મળતા પીપલજ ગામેથી રણજીત ગોવિંદભાઇ સોલંકી (ઉવ.૨૬) (રહે. જૂના ટોલનાકા પાસે ગોંડલ રોડ ખુલ્લા પટમાં મફતીયાપરા મૂળ અમરેલીના વડીયા)ને પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.ડી. વાળા, એ.એસ.આઇ યશવંતભાઇ, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ, કૌશેન્દ્રસિંહ, શૈલેષભાઇ, કુલદીપસિંહ, જયપાલભાઇ, ઉમેદભાઇ તથા ભીખુભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(3:08 pm IST)