Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd November 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી-અંજલીબેન રૂપાણી દ્વારા ઝૂપડપટ્ટીના બાળકોને મિઠાઈ-ફટાકડાનું વિતરણ

રાજકોટઃ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના પત્નિ અંજલીબેન રૂપાણી દ્વારા તેઓના પૂજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ ઝૂપડપટ્ટીના બાળકોને ચોકલેટ-મિઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી બાળકોને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તસ્વીરમાં છોટુનગર ઝૂપડપટ્ટીના બાળકોને મિઠાઈ વિતરણના કાર્યક્રમમાં વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી સાથે સ્થાનિક કોર્પોરેટરો મનિષભાઈ રાડિયા, જયમીન ઠાકર, ડો. દર્શિતા શાહ, મીનાબા જાડેજા, વોર્ડ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથ વાળા (મહામંત્રી), ભાવેશ ટોયટા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, લલિતભાઈ વડેરિયા (કાળુમામા), કમલેશ રાઠોડ, નરેન્દ્રસિંહ ગોહિલ, રાજુભાઈ ધોળકિયા, સમિર વસાવડા વગેરે ઉપસ્થિત હતા તે દર્શાય છે. આ ઉપરાંત ગાંધીગ્રામ અને મોરબી રોડની ઝૂપડપટ્ટીઓમાં પણ મિઠાઈ વિતરણ કરાયેલ. જ્યાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, વોર્ડ નં. ૧ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:17 pm IST)