Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

મારવાડી કોલેજમાં સાતમા માળે પગથીયા ઉતરતાં પડી જતાં વોચમેન રતનપરના જેન્તીભાઇનું મોત

રાજકોટ તા. ૩: મોરબી રોડ પર બેડી નજીક આવેલી મારવાડી કોલેજમાં વોચમેન તરીકે નોકરી કરતાં વૃધ્ધ પરમ દિવસે સાંજે કોલેજમા સાતમા માળેથી પગથીયા ઉતરતી વખતે પડી જતાં છાતીમાં ગંભીર ઇજા થતાં હાંસડી ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે સવારે મોત નિપજ્યું હતું.

મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં જેન્તીભાઇ શંકરભાઇ મહિડા (ઉ.વ.૬૦) બુધવારે સાંજે છએક વાગ્યે મારવાડી કોલેજમાં વોચમેન, લિફટમેનની નોકરી પર હતાં ત્યારે સાતમા માળે કામ સબબ ગયા હતાં. ત્યાંથી પગથીયા ઉતરી નીચે આવી રહ્યા હતાં ત્યારે એક પગથીયું ભુલી જતાં ગબડી જતાં ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ આજે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના આર. બી. ગીડાએ જાણ કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. અજયભાઇ નિમાવત અને યુવરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણેક મહિનાથી વોચમેનની  નોકરીમાં જોડાયા હતાં. તે ચાર ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્ર છે.

(12:40 pm IST)