Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

ડો. કથીરીયાનું ૧૩૦ મી વખત રકતદાન

 તાજેતરમાં સિવિલ હોસ્પિટલના લાભાર્થે થયેલ રકતદાન કેમ્પમાં ડો.વલ્લભભાઇ કથીરીયાએ તેમના ૬૮માં જન્મદિવસ નિમિતે ૧૩૦ મી વખત રકતદાન કરેલ. તથા સૌરાષ્ટ્રના નામાંકીત યુરોલોજીસ્ટ (ગોલ્ડમેડલીસ્ટ)કપલ, ડો.પ્રતિક અમલાણી તથા ડો. ધુતિ અમલાણી (પીડીયાટ્રીક યુરોલોજીસ્ટ, ગોલ્ડમેડલીસ્ટ) એ પણ રકતદાન કરેલ. જેઓ દર ત્રણ મહિને નિયમીત રકતદાન કરે છે. તેમજ સિવિલ હોસ્પિટલના લાભાર્થે નિયમીત રકતદાન કેમ્પ પણ કરાવે છે. શ્રીમદ્  રાજચંદ્રસેવા ગ્રુપના રકતદાન કેમ્પમાં પણ માનદ્  સેવા આપે છે.

(2:54 pm IST)