Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

‘જીવન એવું જીવ્‍યા કે મોત પણ રડી પડયું!' : સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રદ્ધાંજલી પાઠવતા નરેશ પટેલ

સ્‍વ. વીણાબેનનું પ્રેરણારૂપ જીવન સમગ્ર સમાજ કદી ભૂલશે નહીં

રાજકોટ તા. ૩ : અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની વીણાબેન ગણાત્રાનો સ્‍વર્ગવાસ થતા ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલે અકિલા અને ગણાત્રા પરિવારની મુલાકાત લઇને સ્‍વ. વીણાબેન ગણાત્રાના દુઃખદ અવસાન સંદર્ભે ઊંડા શોકની લાગણી વ્‍યકત કરી હતી અને તેઓએ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટરશ્રી નિમિષભાઇ ગણાત્રા સહિતના પરિવારજનોને સાંત્‍વના પાઠવી હતી.સ્‍વ.વીણાબેન ગણાત્રાને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપતા શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે સત્‍ય, સેવા, ધર્મ, શિસ્‍ત, પરોપકાર સાથેનું સ્‍વ.વીણાબેનનું પ્રેરણારૂપ જીવન સમગ્ર સમાજ કદી ભૂલશે નહીં. સ્‍વ. વીણાબેને હંમેશા જરૂરીયાતમંદ લોકોની ચિંતા કરીને તેઓનું ભલુ થઇ જાય તે માટે સતત પ્રયત્‍નો કર્યા હતા. ધાર્મિક પ્રકૃતિને કારણે તમામ લોકોનું કલ્‍યાણ થાય અને સમાજમાં કોઇપણ વ્‍યકિત દુખી ન થાય તેવી સતત પ્રાર્થના સ્‍વ. વીણાબેન ઇશ્વર પાસે કરતા હતા. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરતા શ્રી નરેશભાઇ પટેલે કહ્યું હતું કે સ્‍વ. વીણાબેન ગણાત્રા જીવન એવું જીવ્‍યા કે મોત પણ રડી પડયું!

(4:16 pm IST)