Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

શ્રી સદ્‌ગુરૂ સદન ટ્રસ્‍ટ તથા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્‍ધાંજલી

અન્‍ય લોકોની ખુશીમાં જ પોતાની ખુશી સમજતા અને પરોપકારી ભાવના ધરાવનાર કરૂણામૂર્તિ સ્‍વ. વીણાબેનને ટ્રસ્‍ટીઓ પ્રવિણભાઇ વસાણી, રાજુભાઇ પોબારૂ, ડો. ચેતનભાઇ હિંડોચા, ડો. નિશાંતભાઇ ચોટાઇ, નરેન્‍દ્રભાઇ નથવાણી વિગેરે દ્વારા ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલી

રાજકોટ તા. ૪ : અકિલાના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રાના ધર્મપત્‍ની શ્રીમતી વીણાબેન ગણાત્રાનો સ્‍વર્ગવાસ થતાં શ્રી સદ્‌ગુરૂ સદન ટ્રસ્‍ટ તથા શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ ટ્રસ્‍ટ પરિવાર દ્વારા ઊંડા શોકની લાગણી વ્‍યકત કરવામાં આવી હતી.

સ્‍વ. વીણાબેન અજીતભાઇ ગણાત્રાને ભાવપૂર્ણ શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા સંસ્‍થાના ટ્રસ્‍ટીઓશ્રી પ્રવિણભાઇ વસાણી, રાજુભાઇ પોબારૂ, ડો. ચેતનભાઇ હિંડોચા, ડો. નિશાંતભાઇ ચોટાઇ, નરેન્‍દ્રભાઇ નથવાણી સહિતના ટ્રસ્‍ટ પરિવારજનોએ જણાવ્‍યું હતું કે, પરોપકારી ભાવના ધરાવનાર કરૂણામૂર્તિ સ્‍વ. વીણાબેન અન્‍ય લોકોની ખુશીમાં જ પોતાની ખુશી સમજતા અને હંમેશા પરિવારજનોને તથા સમાજને મદદરૂપ બનવા તત્‍પર રહેતા હતા. સત્‍ય, ધર્મ, સેવા, શિસ્‍ત અને ભકિતભાવના સાગર સાથેનું સ્‍વ. વીણાબેનનું જીવન સમગ્ર સમાજ માટે સદાય પ્રેરણારૂપ રહેશે. સંસ્‍થા દ્વારા શોક ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો. સ્‍વ. વીણાબેન ગણાત્રા દ્વારા થયેલા સેવાકીય કાર્યો કદી વિસરાશે નહી તેવું તમામ ટ્રસ્‍ટીઓએ જણાવ્‍યું હતું.

(3:43 pm IST)