Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મ.ન.પા. કચેરી ખૂલતાની સાથે જ જન્મ-મરણ પ્રમાણપત્રો માટે લાઈનો લાગીઃ વ્યવસ્થા તૂટતા દેકારો

રાજકોટઃ શનિ અને રવિ, સોમ એમ ત્રણ દિવસ સુધી જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો નહી મળતા આજે કચેરી ખુલતાની સાથે જ મ.ન.પા.ના સિવીક સેન્ટરોમાં જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો લેવા અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. નોંધનીય છે કે જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્ર ઓનલાઈન આપવાની પદ્ધતિ શરૂ કરવા માટે રાજ્ય સરકારે જ ત્રણ દિવસ સુધી કામ બંધ રાખેલ હતું અને આજથી કામગીરી શરૂ થતા જ સર્વર ડાઉન થઈ ગયુ હતુ જેના કારણે ૧ કલાક સુધી કામગીરી અટકી હતી અને બીજી તરફ અરજદારોની લાંબી લાઈનો લાગવા માંડતા થોડીવાર માટે વ્યવસ્થા તૂટી ગયેલ અને દેકારો બોલી ગયો હતો. જો કે બાદમાં પરિસ્થિતિ થાળે પડી ગયેલ. તસ્વીરમાં જન્મ-મૃત્યુ નોંધના પ્રમાણપત્રો માટે અરજદારોની લાંબી લાઈનો નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:29 pm IST)