Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ડી.ડી.ગિરનાર પર ''સાહિત્ય સરવાણી''

આગામી તા.૦૫/૦૭/૨૦૨૨ અને તા.૦૬/૦૭/૨૦૨૨ મંગળ અને બુધવારે બપોરે ૦૧.૩૦ વાગ્યે ડી.ડી.ગિરનાર પરથી સાહિત્ય સરવાણી કાર્યક્રમ રજુ થશે. કાર્યક્રમમાં કવિ અમિત વ્યાસ, ભરત વિંઝુડા અને વારિજ લુહાર તથા નટવર આહલપરા કાવ્યપાઠ કરશે. કાર્યક્રમનું સંચાલન નટવર આહલપરા એ કર્યુ છે. નિર્માણ દુરદર્શન રાજકોટના કાર્યક્રમ નિર્માતા શ્રી સંજય સાગઠિયાએ કર્યુ  છે

(4:15 pm IST)