Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રામનાથપરા મૂકિતધામમાં સમૂહ અસ્‍થીપૂજનઃ હરિદ્વારમાં વિસર્જીત કરાશે

રાજકોટઃ મહાનગર પાલિકા નિર્મિત સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં તા.૧/૦૧/૨૦૨૨ થી ૩૦/૬/૨૦૨૨ જાન્‍યુઆરી થી જૂન માસ સુધી રામનાથપરા મુકિતધામમાં લાકડાવિભાગ અને ઇલેકિટ્રક વિભાગામાં જે પરિવારજનોનાં ઘરની વ્‍યકિત અવસાન થયેલ છે. તેમામના રામનાથપરા મુકિતધામમાં સમુહ પૂજન કરવામાં આવેલ. જે  વ્‍યકિતએ પોતાના અસ્‍થિ પરિવારના લોકો જે લઇ જાવાના છે તેના અલગથી અસ્‍થિ ઓફિસમાં રાખેલ છે. બાકીના બધાના અસ્‍થિ તારીખ ૦૭/૦૭/૨૦૨૨ના રોજ સવારના સાત વાગે હરદ્વાર મૂકામે હલડી પેઢી ઘાટ મૂકામે તમામના અસ્‍થિનું વિસર્જન કરવામાં આવશે. સરગમ કલબ સંચાલીત રામનાથપરા મુકિતધામમાં પૂજનની વ્‍યવસ્‍થા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તેમજ મુકિતધામના ઇન્‍ચાર્જ રમેશભાઇ અકબરી અને મનસુખભાઇ ધંધુકીયા, તેમજ દિપકભાઇ શાહ, કૌશિકભાઇ વ્‍યાસ, રાજેન્‍દ્રભાઇ શેઠ, હરેશભાઇ છોટાળા, અને જસુમતીબેન વસાણી, જયશ્રીબેન વ્‍યાસ, અલ્‍કાબેન ધામેલિયા, વૈશાલીબેન શાહ, હર્ષાબેન કથ્રેચા, નિશાબેન ખંડેરિયા, જાગૃતિબેન આસોડિયા, હિનાબેન પારેખ, વગેરે જહેમત ઉઠાવેલ.

(4:18 pm IST)