Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

આમ આદમી પાર્ટી દ્વારા પોરબંદરથી શરૂ કરાયેલ'યુવા જોડો' યાત્રા કાલે રાજકોટમાં

રાજકોટ તા. ૪ : આમ આદમી પાર્ટી દ્વારા યુવાનોને ઢંઢોળવા ગોપાલ ઇટાલીયાના વડપણ હેઠળ તા. ૧ થી પોરબંદર ખાતેથી આરંભાયેલ 'યુવા જોડો' યાત્રા સૌરાષ્ટ્રમાં ફરતા ફરતા આવતીકાલે તા. ૫ ના રાજકોટમાં આવી રહી છે. ત્યારે આપ શહેર પ્રમુખ રાજભા ઝાલા અને પ્રભારી અજીતભાઇ લોખીલના માર્ગદર્શન એઠળ કાલે વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે.

કાલે સાંજે ૬ વાગ્યે એન્જીનીયરીંગ એસો. હોલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ અને ત્યાર બાદ એજ સ્થળે સાંજે ૭.૩૦ વાગ્યે પત્રકાર પરીષદ રાખવામાં આવી છે. રાત્રે ૮ વાગ્યે વોર્ડ નં. ૨ ના જનસેવા કાર્યાલયનું ઉદઘાટન એરપોર્ટ રોડ, પેટ્રીયા હોટલ સામે કરાશે. સમગ્ર કાર્યક્રમો માટે શિવલાલા બારસિયા, દિવ્યકાંતભાઇ કગરાણા, પરેશભાઇ શિંગાળા, દીલીપસિંહ વાઘેાલ, રાજેશ પાનસુરીયા, ચેતન કમાણી, ઇન્દુભા રાઓલ, મહિલા પાંખના જુલીબેન લોઢીયા, યુથ વીંગના નૈમિષ પાટડીયા , દેવાંગ ગજજર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 બીજા દિવસે તા. ૬ ના સવારે ૮ વાગ્યે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી પગપાળા ડો. બાબા આંબેડકરજીની પ્રતિમા સુધી જઇ ત્યાં ફુલહાર કરાશે. બાદમાં સરદાર વલ્લભભાઇ પટેલને ફુલહાર કરી યાત્રા રાજકોટથી આગળ જવા પ્રયાણ કરશે. તેમ આમ આદમી પાર્ટીની એક યાદીમાં જણાવાયુ છે.

(3:45 pm IST)