Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સોરઠીયા રજપૂત વિમેન્સ ફેડરેશન દ્વારા શનિવારે બહેનો માટે રાસગરબાનું આયોજન

રાજકોટઃ પ્રાતઃ સ્મરણીય પૂ.દેશળબાપુ વિરલ વિભૂતિ પૂ.સંપૂર્ણાનંદજીબાપુ તથા મહામુકત રાજ શ્રી પૂ.દેવભગતના આશીર્વાદ અને પ્રેરણાથી સોરઠીયા રાજપૂત સમાજ વિમેન્સ ફેડરેશન રાજકોટ દ્વારા તા.૮/૧૦ને શવિવારે સાંજે ૪ થી ૮ દરમ્યાન એક દિવસ સમાજના બહેનો માટે રાસ ગરબાનું આયોજન, સોરઠીયા રાજપૂત ભવન ૧, દિપક સોસાયટી- ગાંધીગ્રામ રાજકોટ ખાતે કરેલ છે. એન્ટ્રી ફી રૃા.૫૦ (નાસ્તા સાથે) રાખેલ છે. એન્ટ્રી પાસ માટે ઈલાબેન ખેર મો.૯૮૯૮૩ ૩૫૦૦૦, પદ્માબેન ડોડીયા મો.૮૨૦૦૫ ૫૯૬૦૩ તથા નીરૃબેન રાઠોડ મો.૯૯૧૩૧ ૩૪૦૫૧ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)