Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

વિમલનગર શેરી નં. ૧ માં નવદુર્ગા ગરબી મંડળમાં દરરોજ રાસ ગરબાની રમઝટઃ આજે રાત્રે લ્‍હાણી વિતરણ

રાજકોટઃ શહેરના યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ વચ્‍ચેના વિસ્‍તારમાં આવેલા વિમલનગર સોસાયટી ખાતે નવરાત્રી મહોત્‍સવની ઉજવણી થઇ રહી છે. વિમલનગર શેરી નં. ૧ ખાતે નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે. દરરોજ બાળાઓ અવનવા રાસ ગરબા રજુ કરે છે. દાતાઓ તરફથી લ્‍હાણી તથા પ્રસાદનું પણ દરરોજ વિતરણ કરવામાં આવે છે. આજે રાત્રે નવરાત્રી મહોત્‍સવ વિરામ લેશે. રાત્રીના રાસ ગરબાની રમઝટ બોલ્‍યા બાદ નવદુર્ગા ગરબી મંડળ દ્વારા બાળાઓને લ્‍હાણીનું વિતરણ કરવામાં આવશે. દરરોજ જુદા-જુદા દાતાઓ દ્વારા દાન આપવામાં આવ્‍યું છે. આ દાતાઓના સહયોગ તથા નવદુર્ગા ગરબી મંડળના સંચાલકો દ્વારા આ લ્‍હાણીનું વિતરણ કરાશે. નવદુર્ગા ગરબી મંડળમાં ૩ બહેનો દ્વારા બાળાઓને ૧પ દિવસ રાસ ગરબારની તાલીમ આપવામાં આવી હતી. ત્‍યાર બાદ જુદા જુદા રાસ ગરબા રજુ કરવામાં આવ્‍યા હતા. તસ્‍વીરમાં દરરોજ રાસે રમતી બાળાઓ નજરે પડે છે. 

(4:12 pm IST)