Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સૌરાષ્ટ્ર સિકયોરીટી એસોસીએશનના રાજકોટથી મુંબઈ ગયેલા ૧૫ સભ્યો મુંબઈ એરપોર્ટ ઉપર હેરાન - પરેશાન : ૩ કલાકથી લગેજ મળ્યુ નથી : મીટીંગમાં હાજરી આપી શકશે નહિં

રાજકોટથી સૌરાષ્ટ્ર સિકયોરીટી એસોસીએશનના ૧૫ સભ્યો મુંબઈ ખાતે ઓલ ઈન્ડિયાની મીટીંગમાં હાજરી આપવા સ્પાઈસ જેટની ફલાઈટમાં સવારે નીકળ્યા હતા : મુંબઈ ખાતે તેઓ ૯.૧૦ કલાકે ઉતર્યા હતા : તેમને ૧૧:૪૫ વાગ્યા સુધી લગેજ આપવામાં આવ્યા નથી : મુંબઈ એરપોર્ટ ઉપર આ તમામ લોકો ભારે હેરાન - પરેશાન છે બપોરે ૧૨ વાગ્યે તેમની મીટીંગ છે તેમાં હવે તેઓ હાજરી આપી શકશે નહિં : ભારે રોષ ફેલાયો છે : સ્પાઈસ જેટના જવાબદારો સતત કહે છે કે હડતાલ હોવાથી લગેજમાં મોડુ થયુ છે : આ અંગે કોઈ રસ્તો નીકળે તેવુ સૌ સભ્યો ઈચ્છી રહ્યાંનું એસોસીએશનના સીનીયર મેમ્બર મુંબઈથી શ્રી નિલેશભાઈ પટેલ (પટેલ ટેલીકોમ - ૯૮૨૫૭ ૧૦૯૯૭) અકિલાને જણાવ્યુ છે

(11:53 am IST)