Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

પોતાના ઘરનો અડ્ડો હોય એ રીતે ઉદયભાઈ વ્યવહાર કરતા હતાઃ રેશ્મા પટેલ

મારી સાથે ખરાબ વર્તન કર્યુ, ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ

રાજકોટ,તા.૫: ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે પોતાના ઘરનો અડ્ડો હોય એવો વ્યવહાર ઉદયભાઈ કરતા હતા. ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ.

તેમણે જણાવેલ કે પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજુઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડ મારી સાથે તુકારે વાત કરવા લાગ્યા હતા અને જેમ ફાવે તેવું બોલતા હતા. મારી સાથે કેમ ધકકામુકી કરી ખરાબ વર્તન કરી મને બહાર કાઢવામાં આવી. આ મામલે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું.

(3:49 pm IST)