Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સરિતા વિહાર ઉપાશ્રયે ગુરૂવારે મહાસતીજીઓનો ચાતુર્માસ પ્રવેશ

પૂ. ધીરગુરૂદેવાના અનુગ્રહથી નૂતનીકરણ સંપન્‍ન

રાજકોટ તા. પ :.. શ્રી વર્ધમાન વૈયાવચ્‍ય કેન્‍દ્ર દ્વારા સરિતા વિહાર સોસાયટી ખાતે ઉપાશ્રયનું સાતાકારી નૂતનીકરણ પૂ. ધીરૂગુરૂદેવના અનુગ્રહથી ડો. પ્રભુદાસ અને ચંદ્રીકાબેન લાખાણી તથા જાગેશ સંઘવી વગેરેના સહયોગથી તારક વોરા, નીરવ સંઘાણીના નેતૃત્‍વમાં પૂર્ણ થયેલ છે.

હર્ષાબેન મોદીની યાદી અનુસાર તા. ૭ ના સવારે ૭.૩૦ કલાકે પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી બા. બ્ર.પૂ. જશુબાઇ મ.સ., તપસ્‍વી પૂ. કિરણબાઇ મ.સ. ચાતુર્માસાર્થે પધારશે. નવકારશી શરદભાઇ જે. મહેતા અને ચાતુર્માસીય અતિથિ સત્‍કારનો લાભ મીરાબેન અનિલભાઇ મણીયારે લીધેલ છે.

(4:17 pm IST)