Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જયપ્રકાશનગરમાં બહેનના ઘરે કડીયાકામ કરતી વખતે વીજકરંટ લાગતા દેવાભાઇનું મોત

ભગવતીપરા ધરમનગરના પ્રૌઢના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. ૫ : ભગવતીપરાના જયપ્રકાશનગરમાં બહેનના ઘરે કડીયા કામ કરતી વખતે વીજ કરંટ લાગતા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ભગવતીપરામાં ધરમનગર-૧માં રહેતા દેવાભાઇ રામદેવભાઇ કારીયા (ઉ.વ.૫૦) ગઇકાલે ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતા બહેનના મકાનમાં કડીયા કામ કરતા હતા ત્યારે ગ્રાઇન્ડર મશીનમાં અચાનક કરંટ લાગતા બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતા બી-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.બી.કોડીયાતર તથા રાઇટર મનોજભાઇ ગઢવીએ કાર્યવાહી કરી હતી. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:34 pm IST)