Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

શનિવારે યોજાનાર વકીલ મહાસંમેલનને સફળ બનાવવા નોટરી બાર.એસો.ની મીટીંગ યોજાઇ

રાજકોટ તા.૫ :શનિવાર યોજાનાર લીગલસેલ મહાસંમેલનને સફળ બનાવવાના કાર્યક્રમમાં વકીલોને ઉમટી પડયા નોટરીની મીંટીંગમાં અપીલ કરાઇ હતી.

આગામી તા.૯/૭/૨૨ના સાંજના કાલાવડ રોડ ઉપર સ્‍વામીનારાયણ મંદિર ખાતે સૌરાષ્‍ટ્ર ભરના વકીલોનું સંમેલન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્‍યક્ષ સ્‍થાને રાખવામાં આવેલ છે. જેના અનુસંધાને આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છના બાર એસોસિએશનના વકીલો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તળામાર તૈયારીના ભાગરૂપે ગઇકાલે રાજકોટ નોટરી એસો.ના પ્રમુખ પ્રકાશિત પૂર્વ પ્રમુખ ભરતભાઇ આહીયા ઉપપ્રમુખ યોગેશભાઇ ઉદાણી દ્વારા મિટીંગ લેવાયેલ હતી.

આ મિટીંગમાં મોટી સંખ્‍યામાં હાજર રહેલ નોટરી એસો.ના હોદ્દેદારો અને સભ્‍યોએ તમામને શનિવારના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા તેમજ રાજકોટના ᅠઅન્‍ય વકીલોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા વિનંતી કરવામાં આવેલ છે. તેમજ રાજકોટનાં નોટરી  એસો.સમગ્ર સૌરાષ્‍ટ્રના નોટરીઓને સંપર્ક કરી ફોન કરી કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી સફળ બનાવવા વિનંતી કરનાર છે તેમજ નોટરી અને કલેઇમ બારના પુર્વપ્રમુખ રાજેશ મહેતા તેમજ બારકાઉન્‍સીલના મેમ્‍બર દિલીપભાઇ પટેલ, ધીમંત જોશી વગેરે હાજર રહેલા હતા

(3:49 pm IST)