Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા એસ.એમ.ઇ. શાખામાં એમએસએમઇનું વર્ચ્યુઅલ લોકાર્પણ

રાજકોટ : યુનિયન બેંક, એસ. એમ. ઇ. શાખાને રાજકોટ શહેરની યુનિયન એમએસએમઆઇ પ્રથમ શાખા તરીકે ઉચ્ચ પ્રબંધન દ્વારા કાર્યરત કરવામાં આવેલ છે. જેનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન બેંકના એકઝીકયુટીવ ડાયરેકટર નિધુ સકસેના દ્વારા કરાયું હતું.  આ તકે રાજકોટ ક્ષેત્ર પ્રમુખ (ઉપમહાપ્રબંધક) સુભાષકુમાર કેશવ, ઉપક્ષેત્ર પ્રમુખ બંશીધર ત્રિપાઠી, સરલ શાખા પ્રમુખ અરૃણકુમાર બંસલ, શાખા પ્રબંધક આદિત્ય કુમાર તેમજ અન્ય શાખા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.  ઉપમહાપ્રબંધક સુભાષકુમાર કેશવે જણાવ્યું કે યુએમએફબી (યુનિયમ એમએસએમઆઇ ફર્સ્ટ બ્રાંચ) વિશેષરૃપથી એમએસએમઆઇ ગ્રાહકો માટે ત્વરિત લોન તથા અન્ય બેકીંગ સુવિધાઓ વિશેષરૃપથી પ્રદાન કરશે. આ શાખા સુક્ષ્મ, નાના તથા મધ્યમ વેપારીઓને ધ્યાનમાં લઇને ખોલવામાં આવી છે. જેથી એમએસએમઆઇ ગ્રાહકોને ત્વરિત બેકીંગ સેવાઓ મળી શકે. આ કાર્યક્રમમાં એમએસએમઆઇ ગ્રાહકોને સંબોધિત કરી યુનિયન બેંક ઓફ ઇન્ડીયાના લોન ઉત્પાદકોની જાણકારી આપવામાં આવી હતી. આભારવિધી એમએસએમઆઇ શાખાનાં ઉપશાખા પ્રબંધક રાજેશ વ્યાસે કરી હતી.

(4:11 pm IST)