Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને ભોજન

 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વિવિભ સેવા કાર્યક્રમોના ભાગરૂપે જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના કન્વીનર મિલનભાઇ કોઠારીની આગેવાની હેઠળ મનોદિગ્યાંગ સંસ્થા માનવ મંદિર ટ્રસ્ટ ત્રંબા ખાતે ભાવતા ભોજનકરાવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ૧૦૦ થી વધુ મનોદિવ્યાંગ બાળકોએ સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરેલ. ઉપરાંત આસપાસના ગામોમાં પણ અન્નપૂર્ણા રથ ફેરવી ભુખ્યા લોકોની જઠરાગ્ની ઠારવામાં આવી હતી. આ તકે જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર અરૂણભાઇ નિર્મળ, જૈન અગ્રણી અજીતભાઇ જૈન, હિતેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:13 pm IST)