Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઇશ્વરીયા પાર્કમાં હવે બોટીંગ શરૂ

ભાવમાં કોઇ ફેરફાર નહિઃ ૪ થી વધૂ બોટ મૂકાઇઃ દરરોજ ચાલુ રહેશે...

રાજકોટ તા. પ : કોરોની કાળ પૂરો તથા રાજકોટ કલેકટર કચેરીમાં અદ્યતન પિકનિક પોઇન્ટ ઇશ્વરીયા પાર્ક શરૂ કરાયો છે, શનિ-રવિ રજામાં એવરેજ ૧પ૦૦ થી વધૂ લોકો ઉમટી પડે છે. તો આડા દિવસે પણ ૩૦૦ થી ૪૦૦ લોકો અને યંગ કપલ મૂલાકાત લેતા હોય છે.

દરમિયાન સારો એવો વરસાદ થતા અને નયનરમ્ય-અને બેટવાળા તળાવમાં પાણી છલોછલ ભરાઇ જતા આખરે ગઇકાલથી ઇશ્વરીયા પાર્કમાં બોટીંગ શરૂ કરી દેવાતા મૂલાકાતીઓમાં આનંદ વ્યાપી ગયો છે, બોટીંગમાં ૪ બોટ મૂકાઇ છે, જૂના ભાવ પ્રમાણે જ ભાડૂ વસૂલાય છે, બોટીંગ દરરોજ ચાલૂ રહેશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

(3:20 pm IST)