Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

શહેરમાં બપોર સુધીમાં '૦' કેસ

કુલ આંક ૪૨,૭૯૨એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૩૨૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયો

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતાએક સપ્તાહથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૯૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૨૫દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૫૫૨ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૨,૭૭,૧૬૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૯૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૩૫ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૩ દર્દીઓ સારવાર હેઠળ છે. કઆજે બપોર સુધીમાં ૬૪૫૫ નાગરીકોએ રસી લીધી હતી. 

(3:26 pm IST)