Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

પંજાબ નેશનલ બેંક કાલાવડ રોડ શાખાના મેનેજરને કોરોના

રાજકોટઃ અત્રેની કાલાવડ રોડ ઉપર આવેલ પંજાબ નેશનલ બેંક શાખાના સિનીયર મેનેજરને કોરોના આવ્યો હોવાના કારણે આ બેંકના સ્ટાફ અને ગ્રાહકોમાં ભારે ગભરાટ ફેલાઇ ગયો છેઃ જાણવા મળતી વિગત અનુસાર આ બેંકના સિનીયર મેનેજર જીતેન્દ્ર સોલંકીને કોરોના પોઝીટીવ આવ્યો હોવાનું જાહેર થતા બેંકની શાખાએ ઉપલા અધિકારીઓ પાસે વિવિધ બાબતે ગાઇડન્સ માંગેલ છે પરંતુ હજુ સુધી કોઇ ગાઇડન્સ નહીં આવતા કર્મચારીઓ અને ગ્રાહકો ભયભીત થઇ ગયા છેઃ એવું ચર્ચાય છે કે આ સિનીયર મેનેજર સરકારી ગાઇડલાઇન્સનો ભંગ કરી માસ્ક વગેરેનું પાલન કરતા નહોતા અને કરાવતા નહોતા જેના કારણે આ જોખમ ઉભુ થયુ છેઃ આ બ્રાંચ બંધ કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ હોવાનું પણ કહેવાય છે

(11:30 am IST)