Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

લોધીકાના છાપરા પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં કણકોટના વૃધ્‍ધ વનરાજસિંહ ચુડાસમાનું મોત

ભાગીયુ વાવવા રાખ્‍યું હોઇ વાડીએથી ઘરે જતી વખતે બનાવ

રાજકોટ તા. ૫: લોધીકાના છાપરા ગામની ગોળાઇ પાસે ગાર્ડી કોલેજ નજીક સાંજે બાઇક સ્‍લીપ થઇ જતાં કણકોટના ક્ષત્રિય વૃધ્‍ધનું મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ કણકોટ ઇસ્‍કોન મંદિર નજીક રહેતાં વનરાજસિંહ દિલાવરસિંહ ચુડાસમા (ઉ.વ.૬૨)એ નજીકના આણંદપર ગામે વાડી ભાગમાં વાવવા રાખી હોઇ બાઇક લઇને ત્‍યાં આટો મારવા ગયા હતાં અને સાંજે ત્‍યાંથી પરત કણકોટ આવી રહ્યા હતાં તે વખતે રસ્‍તામાં છાપરાની ગોળાઇમાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્‍યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

(10:53 am IST)