Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

બધિર મંડળ રાજકોટ આયોજિત રાસોત્‍સવમાં ખેલૈયાઓ મનમુકી ગરબે ઘુમ્‍યા

રાજકોટ : બધિર મંડળ રાજકોટ દ્વારા જાગનાથ વિસ્‍તારમાં આવેલી નંદવાણા બ્રાહ્મણ બોહિંગ ખાતે સતત ૧રમાં વષ આયોજીત  નવરાત્રી મહોત્‍સવમાં ૧૭૦ થી વધુ બધિર બાળકો, ભાઇઓ તથા બહેનો મનમુકીને ગરબે ધુમ્‍યા હતા. આ મહોત્‍સવમાં કાર્યક્રમને સફળ બનાવવા હિરેન પંડયા, હર્ષલ પંડયા, પરેશ ગોસ્‍વામી, અપૂર્વ શેઠ, હિતેશ ઠક્કર, મિતેશ કકકડ, ધવલ હડવાણી, ફિરોઝ, રશ્‍મીશેઠ, અશોક કુકડિયા, ભાવિન ધોળકીયા અને શીતલ દામા (દુભાષિયો) જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:16 pm IST)