Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

કાલે ડો.આંબેડકરજીનો સ્મૃતિદિનઃ બ.સ.પા. દ્વારા શ્રધ્ધાંજલી સભા

રાજકોટઃ આવતીકાલે તા.૬  મંગળવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન નવા થોરાળા, સર્વોદય સોસાયટી, ૩/૪, કોર્નર, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે, રાજકોટ મહાનગર ખાતે બહુમાન  સમાજ પાર્ટી- જિલ્લા રાજકોટ દ્વારા વિશ્વરત્ન, સંવિધાન શિલ્પી, નારીઓના મુકિતદાતા, બોધિસત્વ ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૬માં સ્મૃતિદિને (મહાપરિનિર્વાણ દિન) શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રધ્ધાંજલી સભાને સફળતા બક્ષવા માટે જિલ્લા કમીટીના લીડરો સર્વશ્રી ચમનભાઈ સવસાણી (બ.સ.પા.પ્રદેશ મહાસચિવ), દિનેશભાઈ પડાયા (બ.સ.પા. જિલ્લા પ્રભારી), રાહુલભાઈ ચાવડા (બ.સ.પા. જિલ્લા પ્રભારી), ભગવાનજીભાઈ મકવાણા, પ્રિયંકર શાકયા, માધુભાઈ ગોહેલ, હમીરભાઈ પરમાર, દિપકભાઈ પરમાર, દિપકભાઈ ચોરાડા, આનંદભાઈ ચાવડા, ડાહ્યાભાઈ ચાવડા, પ્રેમજીભાઈ પરમાર,  વાલજીભાઈ વાઘેલા, દિલીપભાઈ નગવાડીયા, નરેશભાઈ બગડા, કિશોરભાઈ પરમાર, મુકેશભાઈ પંચાલ, ગૌતમભાઈ ખાવડું, અમુભાઈ સોલંકી, જીતુભાઈ પરમાર, હરેશભાઈ પરમાર, મયંકભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા, નરેન્દ્રભાઈ ગોહેલ, નરેન્દ્રભાઈ સારેસા, વિજયભાઈ પરમાર, જયેશભાઈ રાખસીયા, સુરજભાઈ મુછડીયા, સ્મિતભાઈ મૂછડીયા, રાયધનભાઈ ખીમસુરીયા, મુળુભાઈ જાદવ, ભોપીભાઈ પરમાર, જિજ્ઞેશભાઈ પરમાર, ચેતનભાઈ પરમાર, જેનિશભાઈ ખીમસુરીયા, યોગેશભાઈ ખીમસુરીયા, રમેશભાઈ મકવાણા વિ.જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે વાસુદેવભાઈ સોલંકી- પ્રભારી ૬૮- રાજકોટ પૂર્વ વિધાનસભા મો.૮૩૨૦૮ ૭૪૭૮૦નો સંપર્ક કરવો.

(3:57 pm IST)