Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

મ્‍યુ.કર્મચારી મંડળ દ્વારા કાલે ડો.આંબેડકર ચોકમાં શ્રધ્‍ધાંજલી સભા

રાજકોટ તા.૫: સ્‍વતંત્ર ભારતનું સંવિધાન ઘડવામાં અનન્‍ય યોગદાન આપનાર ભારત રત્‍ન ડો.આંબેડકર સાહેબના ૬૬માં મહાપરિનિર્વાણ દિવસે પછાત વર્ગ મ્‍યુનિસિપલ કર્મચારી મંડળ રાજકોટ દ્વારા તા.૬/૧૨/૨૦૨૨, મંગળવારના દિવસે સાંજે ૬ કલાકે ડો.આંબેડકર પ્રતિમા પરિસર, ડો.આંબેડકરચોક (રાજકોટ સિવિલ હોસ્‍પિટલ પાસે) રાજકોટ ખાતે શ્રંદ્ધાંજલી સભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

મહામાનવની શ્રદ્ધાંજલી સભાના કાર્યક્રમમાં કેન્‍દ્ર સરકાર/ રાજય સરકારના જુદા-જુદાના વિભાગો/ એકમો/ બોર્ડ-નિયમો/ જિલ્‍લા પંચાયત/ તાલુકા પંચાયત/ કોર્પોરેશન/ રેલવે/ બેંક/ વીમા-ઇન્‍સ્‍યુરન્‍સ/ ટપાલ-ટેલીકોમના તમામ કર્મચારીઓ યુનિયનો તેમજ સામાજિક સંસ્‍થાઓ/ ટ્રસ્‍ટો/ મંડળો/ સંસ્‍થાઓના તમામ શ્રેણીઓના પદાધિકારીઓ અને પેન્‍શનરો તેમજ વિવિધ સોસાયટી/ વિસ્‍તારોના આગેવાનો/ સામાજિક કાર્યકર્તાહઓ અને ડોકટર/ એન્‍જીનીયર/ વકીલો તથા મિશનના તમામ સાથીઓના પછાત વર્ગ મ્‍યુનિસિપલ કર્મચારી મંડળ, રાજકોટ દ્વારા આયોજિત શ્રદ્ધાંજલી સભાના કાર્યક્રમમાં સહભાગી થવા યુનિયનના આગેવાનો અશોક રાઠોડ, અશોક સોલંકી, જેન્‍તી વાણીયા,  વિરલ ચાવડા, નરેન્‍દ્ર પરમાર, મહેશ મકવાણા, કમલેશ સોલંકી, રમેશ મકવાણા, કેવલ મહાબોધી, ડી.કે.સિંધવ, આર.જે.પરમાર, જયેન્‍દ્ર બોખાણી, પ્રકાશ મકવાણા, દિપક સોલંકી તથા ગિરધર ચાવડાની યાદીમાં જણાવેલ છે.

(4:19 pm IST)