Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

હત્યાના ગુનામાં ચાર વર્ષથી ફરાર એમપીના રમેશ ઉર્ફ કીરગીયાને પકડી લેતી ક્રાઇમ બ્રાંચ

૨૦૧૭માં કેરમા ઉર્ફ ચેતનએ તેના બનેવીને કુહાડાના ઘા ઝીંકી પતાવી દીધા હતાં: તેમાં રમેશ ઉર્ફ કિરગીયો પણ સામેલ હતોઃ હજુ એક આરોપી ગીરધો દેવકરીયા ફરાર

રાજકોટ તા. ૬: ચાર વર્ષ પહેલા આજીડેમ પોલીસ મથક હેઠળના સુકી સાજડીયાળી ગામે પોતાના જ બનેવીની કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી મિત્ર સાથે ભાગી ગયેલા મુળ મધ્યપ્રદેશ અલીરાજપુર આંબીગામના પલાસકુવાના રમેશ ઉર્ફ કીરગીયો નારૂભાઇ બામણીયા (ઉ.૩૨)ને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો છે.

ક્રાઇમ બ્રાંચના વિરેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઇ પટેલ અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી રમેશ ઉર્ફ કિરગીયોને પકડી લેવાયો છે. ૨૦૧૭ની સાલમાં કેરમો ઉર્ફ ચેતન નાકુભાઇ ભુરીયાને બનેવી માંડરીયાભાઇ સાથે માથાકુટ થતાં તેણે મિત્ર રમેશ ઉર્ફ કીરગીયો અને કેરમો ઉર્ફ ચેતન સાથે મળી બનેવીની કુહાડાના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે તે વખતે કેરમો ઉર્ફ ચેતન પકડાઇ ગયો હતો. તેણે કબુલ્યું હતું કે બનેવી અગાઉ પોતાની બીજી બહેનને ભગાડી ગયો હોઇ તે કારણે ખાર હતો અને વારંવાર ઝઘડા થતાં હોઇ હત્યા કરી હતી. બીજા આરોપીઓ  ગિરધો અદેસીંગ દેવકરીયા અને રમેશ ઉર્ફ કિરગીયો ભાગી ગયા હતાં. જેમાંથી હવે રમેશ પકડાઇ ગયો છે. તુ છુટક ડ્રાઇવીંગ કરતો હોઇ અલગ અલગ શહેરો ગામોમાં ફરતો રહેતો હતો.

એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએઇઆઇ પી.એમ. ધાખડા, એન. ડી. ડામોર, અમીતભાઇ અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

(3:25 pm IST)