Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મ.ન.પા.ના આરોગ્ય સ્ટાફ કોરોના સંક્રમિત થવા લાગ્યોઃ પાંચ દિ'માં ૭૦ કર્મચારીઓ ઝપટે ચડયા

રાજકોટ : કોરોના સંક્રમણની સ્થિતિ હવે વધુને વધુ ગંભીર બની છે. જે વિભાગ કોરોનાથી મહત્વની કામગીરી કરી રહેલ છે તે મ.ન.પા.ના આરોગ્ય વિભાગનાં જુદા જુદા ૭૭ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસમાં સંક્રમિત થતાં તંત્રમાં જબરી ચિંતા છવાઇ રહયા અંગે સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ દિવસ દરમિયાન મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ - મેડિકલ સ્ટાફ તથા કરાર આધારીત કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છેઃ આજ સુધીમાં ૭૦ કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડી જતાં આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી રહી છે.

(4:01 pm IST)