Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજકોટના સદગુરૂદેવ પરમ પૂજ્ય રણછોડદાસજી બાપુના સદગુરૂ સદન આશ્રમમાં તા.12 મે સુધી પ્રવેશ બંધ રહેશે

દર્શનાર્થીઓ, ધર્મપ્રેમીભાઈ બહેનો તથા ભક્તજનોના હિત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને નિર્ણય

રાજકોટ : રાજકોટના સદગુરુદેવ પ્રેમ પૂજ્ય રણછોડદાસજી બાપુના સદ્ગુરુ સદન આશ્રમ આગામી 12 મેં સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે ટ્રસ્ટની યાદી મુજબ હાલમાં આપણે સૌ કોરોના વાયરસની મહામારીમાંથી પસાર થઇ રહ્યાં છીએ ,આ મહામારી અટકે અને વધારે ના ફેલાઈ માટે દર્શનાર્થીઓ, ધર્મપ્રેમીભાઈ બહેનો તથા ભક્તજનોના હિત તથા સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને સદગુરુ સદન ટ્રસ્ટે નિર્ણય કરેલ છે કે પ,પૂ,રણછોડદાસજીબાપુ આશ્રમ મંદિર ધર્મપ્રેમી ભાઈઓ બહેનો માટે તા, 5થી 12 મેં બુધવાર સુધી આશ્રમ મંદિરમાં પ્રવેશ બંધ રાખેલ છે જેની સર્વે ધર્મપ્રેમી ભાઈ બહેનોએ નોંધ લેવા જણાવ્યું છે સાથે આ મહામારીથી મુક્ત થઈએ એવી પ,પૂ,શ્રી સદગુરુ ભગવાન શ્રી રણછોડદાસબાપુને પ્રાર્થના કરેલ છે

(6:23 pm IST)