Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

બેચરભા પરમાર ટ્રસ્‍ટ દ્વારા વૃક્ષના ૧ હજાર રોપાનું વિનામૂલ્‍યે વિતરણ

રાજકોટઃ બેડીપરા રાજપૂત સમાજ અગ્રણી, ક્ષત્રિય રાજપૂત કન્‍યા છાત્રાલય(નારણકા)ના ટ્રસ્‍ટી-દાતા સ્‍વ.બેચરભા પાંચાભા પરમારના ૭૫માં જન્‍મ દિવસ નિમિત્તેશ્રી બેચરભા પાંચાભા પરમાર - શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૧૦૦૦ વૃક્ષા રોપાઓનું વિનામૂલ્‍યે વિતરણ કરવામાં આવ્‍યું હતું. અતિથિ પાર્ટી પ્‍લોટ, ૧૫૦ ફૂટ રિંગ રોડ તથા શિવશક્‍તિ રેસ્‍ટોરન્‍ટ કુવાડવા રોડ એમ બે સ્‍થળ પરથી કરાયું હતું.આ વૃક્ષ વિતરણ કાર્યક્રમમાં  આગેવાન સર્વશ્રી દેવાંગભાઈ માંકડ,સુરેન્‍દ્રસિંહ વાળા,અશ્વિનભાઈ પાંભર, નીતિષભાઈ ભૂત, દર્શિતાબેન શાહ, રાજેશ્વરીબેન ડોડીયા, સંદિપસિંહ ડોડીયા, કાથડભાઈ આહીર, કિશોરસિંહ ડોડીયા અને બી. ડિવિઝન PI વાળા તથા રાજપૂત સમાજ અગ્રણી  નવઘણસિંહ પરમાર, રણમલસિંહ પરમાર,અરવિંદસિંહ પરમાર, સામંતસિંહજી ડોડીયા, દેવાભા રાઠોડ,બેડીપરા રાજપૂત સમાજ પ્રમુખ  રમેશસિંહ ચૌહાણ, હિતુભા ડોડીયા, રાજભા ઝાલા, હિતેષસિંહ સાકરીયા તથા પુરૂષાર્થ યુવક મંડળના રણજીતસિંહ રાઠોડ, સુરેશભાઈ ઢોલરીયા,રાજેશભાઈ કાનાણી, દેવ ગ્રુપ દાંડિયા તથા નિલ્‍સ જીમના ભાઈઓ ઉપસ્‍થિત રહ્યા હતા.   આ કાર્યક્રમમાં સહભાગી બનનાર સૌનો શ્રી બેચરભા પાંચાભા પરમાર-શ્રી વિજયાબા બેચરભા પરમાર ચેરિટેબલ ટ્રસ્‍ટ વતી ચંદુભા પરમાર અને હરિશસિંહ પરમારે આભાર વ્‍યકત કર્યો હતો.

(4:55 pm IST)